વોર્ડ નં. 5 ના કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને તેમના 41મા જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આ શુભ અવસરે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા સમાજોપયોગી પહેલ તરીકે 41,000 નોટબુક તેમજ 41,000 સાઇબર સુરક્ષા જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત શ્રેયશ સ્કૂલ ખાતે શ્રી પિયુષ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ દ્વારા શિક્ષણ અને જાગૃતિ માટેનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હોવાનું જણાયું.
