“ઉઠો, જાગો અને ધ્યેય સિદ્ધિ સુધી અવિરત આગળ વધતા રહો” ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી – ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ના અવસરે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સુતરાંજલી સહ વંદના કાર્યક્રમમાં વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દક્ષેશ માવાણી સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે તેમણે સ્વામી વિવેકાનંદજીને ભાવપુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી અને યુવાનોને તેમના વિચારોથી પ્રેરણા લઈને જીવનમાં નિષ્ઠા, શિસ્ત અને લક્ષ્યપ્રતિ અડગ રહેવા આહ્વાન કર્યું. કાર્યક્રમમાં અનેક આગેવાનો, અધિકારીઓ અને નાગરિકોની હાજરી રહી હતી.
